Saturday, March 12, 2011

ગુજરાતી લેખ

એક સામાન્ય પ્રેમ કહાનિ....
  • ૧ છોકરો દરરોજ એક દુકાને CD લેવા જતો હતો કારણ કે તે દુકાન મા કામ કરતિ ૧ છોકરિ ને તે પ્રેમ કરતો હતો.- તે છોકરિ કંઇ બોલતિ નહોતિ ફક્ત CD આપિ દેતિ જે પેલો છોકરો માંગતો હતો..તો પણ તે છોકરો રોજ ત્યાં જતો હતો એ છોકરિ ને જોવાના બહાને...૧ દિવસ તે છોકરો મરિ ગયો..ત્યારે તે છોકરિ તે છોકરા ના ઘરે ગઈ..તેનેછોકરા નિ મમ્મિ ને તેનો Room જોવાનું કહયું..તેને જોયું કે તે છોકરા એ એકપણ CD ખોલિ ને જોઈ નહોતિ...આ જોઈ છોકરિ ને ખુબ દુઃખ થયું અને તે રડવાલાગિ..કારણ કે.તે છોકરિ દરરોજ તે CD મા એક પ્રેમપત્ર પેલા છોકરા માટે મુકતિ હતિ...આ દુનિયા મા એવા પણ પ્રેમિઓ છે જે એકબિજા ને ખુબ ચાહતા હોઈ છે પણ ....કહિ ના શકવા ના કારણે તે ભુલાઈ જાય છે..તો દોસ્તો તમે જેને પણ સાચો પ્રેમ કરતા હો તેને કહિ દેવો..જો હોગા દેખા જાયેગા  

I Love My India

  1. અમેરિકા ના ૩૮% ડોકટરો ભારતીય છે.
  2. અમેરિકા ના ૧૨% વૈગ્નાનિકો ભારતીય છે.
  3. અમેરિકા મા ૩૮% નાસા ના વૈજ્ઞાનિકો ભારતીય છે.
  4. અમેરિકા મા ૩૪% માઈક્રોસોફ્ટ્ કર્મચારિયો ભારતીય છે.
  5. અમેરિકા મા ૧૭% ઇન્ટેલ ના કર્મચારિયો ભારતીય છે.
  6. અમેરિકા મા ૨૮% આઈ.બિ.એમ્ ના કર્મચારિયો ભારતીય છે.
 
ભારત મહાન છે. પણ ભારતીય મહાન નથી .વિચારો જો આ બધા લોકો ભારત માટે કામ કરે તો
ભારત
કેટલી પ્રગતિ કરે? આ મેસેજ જવાન ભારત ને ફોરવડ કરો. મહેરબાની કરીને એવુ ના
વિચારો કે આ સમય નો વ્યય છે. ભારતીય હોવા નુ ગર્વ અનુભવો..અને ભારત માટે
કાંઇક કરી છુટવાની તમન્ના રખો.. જય ભારત.

  

પિતાનું આપણા જીવનમાં મહત્વ..

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોયછેને!પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોયછે.માતા રડે છે પણ પિતાનેતો રડી પણ શકાતું નથી.પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહેતો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતાએજ કરવાનું હોયછે.જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.


પિતાના ઠેકઠેકાણે સંધાયેલાજોડાજોઈએતો તેમનો પ્રેમ નજરે ચડે.તેમનું ફાટેલું ગંજી જોઈએતો સમજાયકે”આપણાંનસીબના કાણાતેનાગંજીમાં પડ્યાછે”.તેમનોદાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડેછે.દીકરાદીકરી નેનવા જીન્સ લઇઆપશે પણપોતેતોજુનો લેંઘોજ વાપરશે.સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીનેજ દાઢી કરીલેતાં હોયછે.પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગેછે.કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોયછે.ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજતારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપેછે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.


પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે.જો તેઓ કંઈપણ કરતા નહોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોયછે.અને ઘરના કામ જુવેછે,સંભાળે છે.માતા હોવી અથવાતો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લેછે,વખાણ કરે છે,આશિષ આપેછે,પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબી માં અસ્વસ્થ થઈને આમથીતેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.


દાઝી ગયા,ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે.નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.કઈ ગળે ઉતરે છે ખરું ?


કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે,તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોયછે.દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?


પિતાનું મહત્વ કોને સમજાય છે ? બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડેછે.તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે.પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે હોયછે ઘર ની દીકરી.સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાયછે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છાબાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજેપણ સમાજ માં નથી બનતા?દીકરી પિતાને ઓળખે છે,સાચવે છે.બીજાઓ પણ પોતાને આરીતે જાણે,ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?


આપણી પાસેતો થોડા ઉત્સવો છે,જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર,ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

No comments:

Post a Comment